વિશ્વના 10 એવા દેશો જ્યાં સૌથી સારો પગાર મળે છે | Top 10 Countries with High Wages in the World

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

એક સર્વે મુજબ સંપૂર્ણ વિશ્વમાં માત્ર 15% લોકો બિઝનેસ એટલે કે ધંધો કરી રહ્યા છે જયારે બાકીના કમાતા લોકો આ 15% લોકો અને એના ધંધા માટે નોકરી કરી રહ્યા છે. આ નોકરી પણ ઘણી પ્રકારની હોઈ છે જેમાં હોદેદાર નોકરી, ઓફિસ વર્ક, ક્લાર્ક, વર્કર્સ અને બીજી ઘણી બધી પોસ્ટ કંપનીની સાઈઝ, ટર્ન ઓવર અને કંપનીના પ્રકારને અનુરૂપ રાખવામાં આવે છે. આ નોકરી કરનારા દરેક લોકો માટે તેની નોકરી કરવા પાછળનો મોટો હેતુ તેમને મળતો પગાર કે વેજિસ પર આધાર રાખે છે. ત્યારબાદ તેમની જોબ પ્રોફાઈલ, વર્ક ક્લચર અને પ્લેસ સિલેક્શન તેમના માટે બીજી પસંદગી હોઈ છે પરંતુ એ માત્ર 20% જ ભાગ ભજવે છે. આજે 80% લોકો માત્ર સેલેરીની અપેક્ષાથી નોકરીની ફેરબદલી કરતા પણ જણાય છે ત્યારે શરૂઆતી નોકરીમાં કોઈ આપણને સેલેરી કેટલી મળે છે તેવો પ્રશ્ન પૂછી નાખે ત્યારે શું જવાબ આપવો એ સમજાતું નથી હોતું. આ નોકરિયાત વર્ગ માટે ખુબ મોટો પ્રશ્ન હોઈ છે કે મારી પાસેથી જેટલું કામ લેવામાં આવે છે એ મુજબ મને સેલેરી મળી રહી છે કે નહિ? અને તેથી જ દુનિયાની કોઈપણ કંપનીઓના કર્મચારીઓ તેની કંપનીના પગાર ધોરણથી ખુશ પણ હોતા નથી. 


કોઈપણ કંપનીની સેલેરી જેતે કંપની દ્વારા થતા નફાના પ્રમાણમાં હોઈ છે અને એ સાથે એ કંપની ક્યાં દેશમાં, રાજ્ય અને શહેરમાં છે તે મુજબ તેના કર્મચારીઓને પગારના સ્લેબ નક્કી કરે છે. આ સાથે એજ ફિલ્ડની બીજી કંપનીઓ તેના કર્મચારીને શું પગાર ધોરણ આપી રહ્યા છે તે મુજબ કંપનીઓ કર્મચારીને પગાર તથા બીજી સુખ સુવિધાઓ ઉપલબ્ધ કરાવે છે. ઘણી વખત એવું પણ જોવા મળતું હોઈ છે કે કોઈ સ્પેસિફિક ફિલ્ડના ભણતર અને ડિપાર્ટમેન્ટમાં કામ કરતા કર્મચારીઓને પગાર ધોરણ વિવિધ હોઈ છે ત્યારે વર્કર અને મજૂરી કરતા લોકો માટેનું પગાર ધોરણ પણ અમુક મર્યાદામાં જ હોઈ છે. સર્વિસ સેક્ટર હોઈ કે માર્કેટિંગ અને પ્રોડક્શન, કર્મચારીઓને મળતા પગાર જેતે દેશના મોંઘવારી કે ફુગાવા તેમજ ઈકોનોમીની સાપેક્ષમાં જ હોઈ છે ત્યારે મોટાભાગે યુવાનો અને નોકરિયાતોને વિદેશમાં જઈ નોકરી કરવી કે સેટ થવાની ખુબ ઈચ્છા થતી હોઈ છે જેનું કારણ જેતે દેશમાં મળતી નોકરીઓના પગાર જ હોઈ છે. 

 

આપણે જે દેશમાં જન્મ લઈએ છીએ એ દેશ દરેકને વ્હાલો હોઈ છે કેમકે જે માટીથી આપણે બનેલા છીએ અને જે વાતાવરણમાં ખાઈ-પી આપણે મોટા થયા હોઈએ તેને આપણે ક્યારેય ભૂલી શકતા નથી જેથી વિદેશમાં માત્ર સારા અને મોટા પગારના સ્વપ્નથી જ લોકો જવા વિચારતા હોઈ છે. ઘણી વખત લોકો વાત કરતા પણ જણાય છે કે ભારતમાં સારામાં સારી નોકરી કરતા વ્યક્તિને દસ લાખની કાર લેવી હોઈ તો એક વર્ષના પગારની બચત કરવી પડે છે જયારે વિદેશમાં 2-3 મહિનાની નોકરીથી પણ લોકો એવી ગાડીઓ ખરીદી શકે છે. આજના સમયમાં જે લોકો માટે ખુબ જીવન જરૂરી બની છે એવી દરેક વસ્તુઓ ફોરેનમાં તેમની કરન્સીથી ખરીદવી ખુબ સહેલી છે જયારે ભારતમાં એજ બધી વસ્તુ ઈમ્પોર્ટ થતી હોઈ અને તેને ભારતીય મુદ્રામાં ખરીદવા જતા તે ખુબ મોંઘી લાગતી હોઈ છે જેમ કે મોબાઈલ, ટેબ્લેટ, લેપટોપ અને એ જેવા દરેક ઇલેક્ટ્રોનિક્સ ઇન્સ્ટ્રુમેન્ટ્સ. 

જેવી રીતે ભારત કરતા નબળી ઈકોનોમી ધરાવતા દેશો ભારતમાં નોકરીની શોધમાં અને સારા એવા પૈસા કમાવવા આવે છે તેમ ભારતમાંથી પણ લાખો લોકો વિદેશોમાં નોકરી કરવા જતા હોય છે. આજે ભારતમાં સારું ભણેલા અને ખુબ મહેનતથી કામ કરતા એન્જીનયરો અને ઓફિસરોનો એવરેજ વાર્ષિક પગાર 6 લાખની આસપાસ હોઈ છે જે વિશ્વમાં અન્ય દેશોની તુલનામાં ખુબ ઓછો ગણી શકાય. ભારત પગાર ધોરણ આપવાના દેશોની ગણતરીમાં 112 માં નમ્બર પર આવે છે ત્યારે આજે આપણે જાણવાના છીએ એવા 10 દેશો વિષે જ્યાં સામાન્યથી લઇ ઉચ્ચ પદ સુધીના નોકરિયાતો ને સારા પગાર ધોરણો આપવામાં આવે છે જેથી તેમની જીવન જરૂરિયાતો અને મોજ શોખ ખુબ સારી રીતે કરી શકે. નીચે મુજબ દેશોના નામ અને ત્યાં પ્રતિ વ્યકતિ પગારને ભારતીય મુદ્રામાં દર્શાવામાં આવેલ છે.

10. બેલ્જીયમ: આ દેશ યુરોપનો એકે નાનો દેશ છે જ્યાંથી મુખ્યત્વે મશીનરી, કેમિકલ, ખાદ્ય પદાર્થોનું એક્સપોર્ટ થાય છે એ સિવાય સર્વિસ સેક્ટરથી આ દેશ ખુબ પૈસા કમાય છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 48093 અમેરિકી ડોલર્સ એટલે કે 35 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે.

9. કેનેડા: આ દેશ વિશ્વની 10 મી સૌથી મોટી અર્થવ્યવસ્થા છે પરંતુ ત્યાં જનસંખ્યા ખુબ ઓછી છે. આ દેશ મુખ્યત્વે ક્રૂડ ઓઇલ, ફિશ ફાર્મિંગ અને સોફ્ટવેર ડેવલોપીંગ ક્ષેત્રમાં ખુબ આગળ છે. આ દેશમાં અમેરિકા દેશ કરતા પણ વધુ ટેક્સ ચૂકવવો પડે છે અને સાપ્તાહિક માત્ર 32 કલાક જ કર્મચારીને કામ કરાવવામાં આવે છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 48164 અમેરિકી ડોલર્સ એટલે કે 35.50 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે.

8. ડેનમાર્ક: આ દેશ મુખ્યત્વે ખાણી-પીણી માટે વિશ્વ પ્રખ્યાત છે. આ દેશમાંથી ખાદ્ય પદાર્થને એક્સપોર્ટ કરી ખુબ પૈસા કમાય છે. આ દેશમાં પણ ત્યાંની સરકાર ખુબ ઊંચો ટેક્સ પ્રજા પાસેથી વસુલે છે પરંતુ એ સામે સરકાર તેનો ખુબ સારો ઉપયોગ કરી જનતાને સુખ સુવિધા પણ આપે છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 49584 અમેરિકી ડોલર્સ એટલે કે 36 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે.

7. નેધરલેન્ડ: આ દેશ પણ યુરોપનો એક નાનો દેશ છે પરંતુ આ દેશ પ્રતિવ્યક્તિ જીડીપી માટે વિશ્વના 10 દેશોમાં સામીલ છે. આ દેશ બેલ્જીયમનો પાડોશી દેશ હોવાને સાથે ખુબ સધ્ધર દેશમાંનો એક છે. અહીંયા ટેક્સના દર ખુબ ઊંચા છે પરંતુ સરકારી સુખ સુવિધા ખુવે સારી હોવાથી આ ટેક્સ લોકો માટે વસુલ કહી શકાય. આ દેશમાં ખુબ મોટા બંદરો છે જે આ દેશની અર્થવ્યવસ્થા ચલાવે છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 51003 અમેરિકી ડોલર્સ એટલે કે 37 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે. અહીંયા પણ લોકો માત્ર સાપ્તાહિક 35 કલાક જ કામ કરે છે.

6. ઓસ્ટ્રેલિયા: આ દેશ એક ખંડ છે પરંતુ વસ્તીના પ્રમાણમાં એક નાના દેશ જેટલી જ છે. આ દેશમાં ન્યુનતમ પ્રતિ કલાક વેજ વિશ્વમાં ખુબ ઊંચો છે જે 17 અમેરિકી ડોલર્સ જેટલો છે. આ દેશ વિશ્વની 12 મી સૌથી મોટી જીડીપી ધરાવતો દેશ છે પરંતુ પ્રતિ વ્યક્તિ જીડીપીમાં પાંચમો સૌથી આગળ દેશ છે. આ દેશ સર્વિસ સેક્ટરથી પોતાની મોટી ઈકોનોમી ચલાવે છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 51148 અમેરિકી ડોલર્સ એટલે કે 37.50 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે.

5. નોર્વે: આ દેશને કુદરતી ખજાનો પુષ્કળ પ્રાપ્ત છે જેથી આ દેશની ઈકોનોમી ઓઇલ, ખનીજ જેવા કિંમતી પદાર્થોને કારણે ખુબ આગળ છે. અહીંયા પણ ટેક્સની દર ખુબ ઊંચી છે પરંતુ સરકારી સેવાઓ ખુબ સારી હોવાથી લોકો આ ટેક્સને પ્રામાણિકતાથી ચૂકવે છે. આ દેશમાં લોકોને સાપ્તાહિક માત્ર 30 કલાક જ કામ કરવું પડે છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 51718 અમેરિકી ડોલર્સ એટલે કે 38 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે.

4. આયર્લેન્ડ : આ દેશ તેના હાઈ લિવિંગ સ્ટાન્ડર્ડ માટે વિશ્વભરમાં પ્રચલિત છે. આ સાથે આ દેશમાં ખેતી, ઇન્ડસ્ટ્રીઝનો ખુબ વિકાસ થયેલો છે. આ દેશ વિશ્વભરમાં તેની ગેમ્સની બનાવટ માટે ખુબ પ્રચલિત છે. આ દેશમાં ટેક્સની દર ખુબ ઓછી છે જેથી લોકોને પગારથી મોટી બચત થતી હોઈ છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 53286 અમેરિકી ડોલર્સ એટલે કે 38.70 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે.

3. સ્વિટ્ઝર્લેન્ડ: આ દેશ સંપૂર્ણ વિશ્વમાં સૌથી વધુ પર્યટન માટે પ્રચલિત છે. આ સાથે આ દેશ ખુબ જ સાફ અને ચોખ્ખો છે અને ત્યાંના લોકોને પણ સૌથી વધુ પ્રામાણિક હોવાનો દરજ્જો પ્રાપ્ત છે. આ દેશને દવાઓ, કેમિકલ્સ, ઘડિયાળો, માપન સાધનો તેમજ સંગીતના સાધનોની બનાવટ તથા એક્સપોર્ટ દ્વારા ખુબ રૂપિયા મળે છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 53400 અમેરિકી ડોલર્સ એટલે કે 38.90 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે.

2. અમેરિકા: આ દેશ દુનિયાની સૌથી મોટી અર્થ વ્યવસ્થા ધરાવે છે. આ દેશ દુનિયાનો સૌથી અમીર દેશની સાથો સાથે સૌથી મોટો હથિયાર નિર્માતા તેમજ વ્યાપારી દેશ છે. આ દેશમાં લોકો સાપ્તાહિક 44 કલાક કામ કરી ખુબ પૈસા કમાય છે જેમાંથી 32% જેવો ટેક્સ તેઓ સરકારને આપે છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 57138 અમેરિકી ડોલર્સ એટલે કે 41.50 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે. જો કે આ દેશમાં સૌથી ઓછા પગાર અને સૌથી વધુ પગારના તફાવતમાં આ દેશ વિશ્વમાં સૌથી આગળ છે. એટલે આ દેશ તેની જરૂરત મુજબ પગારદારોને પૈસા ચૂકવે છે.

1. લક્સમબર્ગ: યુરોપનો ખુબ નાનો દેશ લક્સમબર્ગ વિશ્વમાં સૌથી વધુ લોકોને પગાર ચુક્વતો દેશ છે. અહીંયા કામ કરતા કર્મચારીઓને વાર્ષિક લગભગ 61511 અમેરિકી ડોલર્સ એટલે કે 44.70 લાખ ભારતીય રૂપિયા જેટલો પગાર મળે છે. આ સેલેરીમાંથી સરકાર 37% થી વધુ ટેક્સ વસુલે છે. આ દેશ સંપૂર્ણ યુરોપમાં સ્ટીલને એક્સપોર્ટ કરતો દેશ છે. આ દેશ એ સિવાય કેમિકલ, રબર જેવા પદાર્થો પણ એકપૉર્ટ કરે છે.  

 


Video Source: Live Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani (B.E., M.Tech., M.B.A., Ph.D.)

Managing Director,

Genius Public School,

Cambridge Group (School & Hospital)

 

 

શું થઇ શકે જો દુનિયાનો હરએક વ્યકતિ વર્ષમાં પોતાના જન્મદિવસે એક ઝાડ વાવે તો? | What if everyone in the world planted a tree on their birthday every year?

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

આપણે પૃથ્વી પર રહીએ છીએ જ્યાં વાતાવરણ છે, હવામાં ઓક્સિજન છે, પીવા માટે પાણી છે અને ખોરાક ઉગાડવા માટે ફળદ્રુપ જમીન પણ છે. માનવી નહિ પરંતુ આ પૃથ્વી પરના દરેક જીવને લગભગ હવા, પાણી અને ખોરાકની જરૂર પડે જ છે અને તેની આ જરૂરત પૃથ્વીનું વાતાવરણ પૂરું પાડે છે પરંતુ હકીકતમાં આ પૃથ્વીના વાતાવરણમાં એક કડી એવી પણ છે જેના વગર પૃથ્વી આ વાતાવરણને સસ્ટેનેબલ બનાવી શકી ના હોત.

હા, ચોક્કસથી આપણે વાત કરીએ છીએ વૃક્ષ, ઝાડ કે અંગ્રેજીમાં કહીએ તો ટ્રી જે આજે તો સામાન્ય રીતે આપણી આસપાસ જોવા તો મળે છે પરંતુ દિવસે ને દિવસે આપણે પ્રગતિ અને વિકાસ માટે આ વૃક્ષોનું બલિદાન આપીએ છીએ જેથી કદાચ બની શકે કે આજની આગલી પેઢીઓ આ વૃક્ષો જોવા પણ કોઈ સંગ્રહાલયમાં જાય. ખરેખર અત્યારે જે વાત માત્ર હસવા જેવી લાગે છે એ ખરેખર હકીકત બની રહી છે કેમકે માનવીના કાળા કહેરને કારણે કુદરતી સંપદાનો વિનાશ થઇ રહ્યો છે અને બીજા પ્રાણીઓ, જીવ જંતુઓ, પક્ષીઓ દિવસે ને દિવસે વિલુપ્ત પણ થઇ રહ્યા છે. 

વૃક્ષો આ વાતાવરણમાં ઓક્સિજન પેદા કરે છે એ સિવાય પણ વૃક્ષો કુદરતી આપદાઓ અને અતિ ઠંડી-ગરમીથી આપણું રક્ષણ પણ કરે છે. વૃક્ષ રણ વિસ્તારને આગળ વધતું અટકાવે છે તો વરસાદ લાવવામાં પણ મદદ કરે છે. વૃક્ષો કાર્બન ડાયોક્સાઇડ જેવા ઝેરી ગેસને પોતાનામાં સમાવી પ્રદુષણ અટકાવે છે ત્યારે શહેરોમાં થતા ધ્વનિ પ્રદુષણને પણ ઓછું કરે છે. વૃક્ષો માનવીનું સ્ટ્રેસ લેવલ ઘટાડવા તેમજ તમારા ઘર, વિસ્તાર કે શહેરની શોભા પણ વધારે છે ત્યારે શું આ વૃક્ષ આપણા જીવનમાં એટલું બધું મફતમાં આપતા હોવા છતાં આપણે ડેવલોપમેન્ટના નામ પર વૃક્ષોને કેમ કાપતા જઈએ છીએ?

આજે દુનિયામાં 60,000 પ્રજાતિના કુલ 3 ટ્રિલિયન જેટલા વૃક્ષો છે જેને આપણા પૂર્વજો, બાપ-દાદાઓએ આપણા સારા ભવિષ્ય માટે વાવેલા છે. વૃક્ષો આ પૃથ્વી પર કરોડો વર્ષોથી છે અને તેણે પૃથ્વી પરના કેટલાય મહા પ્રલય જોયા પણ હશે અને એના ભોગ પણ બન્યા હશે અને એટલે જ કદાચ આપણે પેટ્રોલિયમ તથા કોલસા જેવા ઉર્જાના સ્ત્રોતો વાપરી શકીએ છીએ. પરંતુ આ વૃક્ષો જીવતા આપે છે તેની કિંમત સમજ્યા વિના તેને કાપી તેનું લાકડું વિવિધ ઉપયોગોમાં લઇ કિંમત ઉભી કરીએ છીએ. આજે લગભગ દરેક મિનિટમાં 27 ફૂટબોલ ગ્રાઉન્ડ જેટલા ભાગમાં વાવેલા વૃક્ષો આપણે કાપી રહ્યા છીએ જે ભવિષ્યમાં વધુ માંગને આધારિત વધી પણ શકે છે તો એક વિચાર જરૂર આવે કે આ અટકવું તો મુશ્કેલ છે પરંતુ શું થાય જો આપણે આપણા દરેક જન્મદિવસે એક વૃક્ષ વાવીએ? શું આપણે આ કરવાથી પૃથ્વીને અને વાતાવરણને બચાવી શકીએ? શું આ વાતાવરણમાં સુધાર લાવી શકીએ?

પૃથ્વી પર 770 કરોડથી વધુ માનવીઓ વસવાટ કરે છે અને દરવર્ષે 13 કરોડ માનવી જન્મ લે છે એટલે કહી શકીએ કે દર એક મિનિટ 250 લોકો જન્મે છે. એટલે આપણે એમ પણ કહી શકીએ કે દરરોજ આ હિસાબથી ત્રણ લાખ પચાસ હજાર લોકો દરરોજ પોતાનો જન્મદિવસ પણ માનવતા હશે. તો એક ઉમદા વિચાર તરીકે સંપૂર્ણ માનવ પ્રજાતિ જો નક્કી કરે કે આપણે દરેક જન્મદિવસે એક વૃક્ષ વાવવું છે તો દરરોજ 3,50,000 વૃક્ષનું વાવેતર થાય અને કદાચ આપણી પૃથ્વી છે એના કરતા પણ નજીકના સમયમાં લીલી થઇ જાય પરંતુ એક રિસર્ચ પ્રમાણે 2010 થી આજ સુધીમાં થયેલ હવાના પ્રદુષણ કે કાર્બનના ઉત્સર્જનને ઓછું કરવામાં માટે 3 ટ્રિલિયન નહિ પરંતુ 10.5 ટ્રિલિયન જેટલા વૃક્ષો જોઈએ તો એ મુજબ તો કદાચ દર એક જન્મદિવસે પણ એક વૃક્ષ વાવવું પૂરતું નથી પરંતુ હા, એક સારો પ્રયાસ તો છે બહેતર ભવિષ્ય માટેનો.

આવનારા 100 વર્ષોમાં પૃથ્વીની જનસંખ્યા 1100 કરોડથી વધુ થઇ શકે છે ત્યારે આ વૃક્ષોનું વાવેતર પણ વધી શકે છે તો કદાચ શું એવું પણ બને કે આ વૃક્ષો વાવવાની જગ્યા ખૂટી પડે? જવાબ છે નહિ. એ સમયે કદાચ વિશ્વની 70% થી વધુ આબાદી શહેરોમાં ગીચતા સાથે જીવતી હશે જેથી પૃથ્વીના વિશાળ ભૂમિભાગમાં ઘણી જગ્યા હશે જે આપણા જન્મદિવસ પર એક વૃક્ષનું વાવેતર કરવા માટે કાફી હશે. આપણે આપણા અને આપણી આગલી પેઢીના સારા ભવિષ્ય માટે વૃક્ષો વાવવાનો સંકલ્પ ઉઠાવવો જ જોઈએ અને આપણી આગલી પેઢીને પણ શીખવાડવો જોઈએ જેથી આ માનવ સભ્યતા અકુદરતી રીતે મહાવિનાશ ના નોતરી બેસે.


Video Source: 
क्या हो अगर - What If Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

આઝાદી બાદ પાંચ રિયાસતો દ્વારા ભારતમાં વિલીન ન થવાનો નિર્ણય કેવી રીતે બદલ્યો? | How did the decision not to merge with India by the five princely states change after independence?

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

 31 ઓક્ટોબરને ભારતમાં રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે મનાવવામાં આવે છે એનું કારણ કદાચ આપણે સૌ જાણીએ જ છીએ કેમકે 31 ઓક્ટોબર એ સરદાર વલ્લભભાઈ પટેલની જન્મ જયંતિ છે અને તેથી જ તેમના દ્વારા થયેલ કામની યાદના સ્વરૂપે ભારતમાં 31 ઓક્ટોબર એ એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ એક સ્વતંત્રતા સેનાનીના રૂપમાં એક સંગઠનને ખુબ મહત્વ આપતા હતા અને તેથી જ તેઓ દ્વારા આઝાદ ભારતમાં એકતા રહે એ હેતુથી સામ, દામ, દંડ અને ભેદ કોઈપણ પ્રયોજન દ્વારા ભારતને એકરૂપ બનાવ્યું.

ભારત મૂળના દરેક ધર્મના લોકોએ 350 વર્ષની ગુલામી દરમિયાન આઝાદીની આશાએ પોતાના જીવનો બલિદાન આપ્યો હતો અને આ નાના-નાના પ્રયાસો અને સંગઠન દ્વારા આપણે 15 મી ઓગસ્ટ 1947 ના રોજ આઝાદી તો પ્રાપ્ત થઇ હતી પરંતુ એ શરતને આધીન હતી. શરત તો ઘણી હતી પરંતુ એક શરત જે ભારતને અને આપણા પાડોશી મુલ્ક પાકિસ્તાનને આજે પણ સહન કરવી પડે છે એ હતી દેશના ભાગલા. બે ભાઈઓને અંદરો-અંદર ઝઘડો કરાવી તેમનો વિકાસ અટકાવવાના આ અંગ્રેજોના વિચારને આજે પણ બન્ને દેશોની જનતા ભોગવી રહી છે ત્યારે એ સમયે ભારતમાં 565 રજવાડાઓ હતા જેમને આધીન પોતાની જમીનો અને સીમાઓ હતી. આ રજવાડાંઓને ત્રણ ઓપશન આપવામાં આવ્યા હતા જે તેમનું ભવિષ્ય નક્કી કરનાર હતું. એક તો તે ભારતમાં ભળી જાય બીજો કે તે પાકિસ્તાનમાં ભળે અને કાં તેઓ પોતાના એક જુદા જ દેશનું નિર્માણ કરે. આ એક એવું કોયડું હતું જે અંગ્રેજોએ જાણી જોઈ સ્વતંત્રતા સૈનાની અને ભારતીય રજવાડાઓ વચ્ચે વિવાદ સર્જવા નાખવામાં આવ્યું હતું અને તે સરદાર વલ્લભભાઈના નેતૃત્વ હેઠળ મહામુશ્કેલી સાથે પણ સુલજી ગયું અને આજના એક ભારતનું નિર્માણ થયું હતું. આ નિર્માણ ખુબ મુશ્કેલ બન્યું હતું કેમ કે ભારતના 565 રજવાડાઓ સીધી રીતે ભારતમાં વિલીન થવા નતા માંગતા અને તેઓ પાકિસ્તાન કે પોતાના અલગ જ દેશ માટેની માંગ ધરાવતા હતા જે દીર્ઘ દ્રસ્ટા એવા વલ્લભભાઈ જાણતા હતા કે આ ભારત અને એ સ્ટેટ માટે ભવિષ્યમાં ગંભીર પ્રશ્નો ઉભા કરશે જેથી તેમને કોઈપણ કિંમતે ભારતમાં ભેળવી દેવા એજ સાચો અને સારો રસ્તો બનશે.
આજે આપણે એવા જ પ્રદેશો અને રિયાસતો વિષે જાણવાના છીએ જેમણે ભારતમાં વિલીન થવા માટે ચોખ્ખી ના પાળી હતી અને એમાંના ઘણા તો ભારતની વચ્ચે હોવા છતાં પાકિસ્તાનમાં ભળવા માટેની વાતો કરતા હતા. રિયાસતો અને તેમની માંગ નીચે મુજબ હતી.


 1. ત્રવણકોર પ્રિન્સલી સ્ટેટ (કેરળ) ત્રાવણકોર રાજ પરિવારનું શાશન હતું. 1946 માં તેના મહારાજાએ એક અલગ જ દેશ બનવવાની વાત કરી હતી. ત્રાવણકોર એ સમયની બીજી સૌથી અમીર રિયાસત હતી. 30 જુલાઈ, 1947 ના રોજ તેમણે ભારતમાં વિલીન થવા માટે સહમતી આપી હતી.
2. જૂનાગઢ પ્રિન્સલી સ્ટેટ (જૂનાગઢ-ગુજરાત) જૂનાગઢના નવાબ મોહોબત ખાને પાકિસ્તાનમાં ભળવાની વાત કરી હતી. જૂનાગઢમાં મોટી વસ્તી હિન્દૂ હતી છતાં નવાબ પાકિસ્તાનમાં ભળવા માંગતા હતા અને તે કોઈ કિંમતે ભારતમાં વિલીન થઇ શકે તેમ ન લગતા વલ્લભભાઈએ લશકરી તાકાત વાપરી જૂનાગઢને આધીન મોટી બે રિયાસતને ભારતને આધીન કરી લીધી હતી ત્યારબાદ જનમત પણ લેવામાં આવ્યો હતો અને આખરે 90% ની સહમતી દ્વારા 20 ફેબ્રુઆરી 1948 ના રોજ જૂનાગઢ પણ ભારતમાં વિલીન થયું હતું.
3. ભોપાલ પ્રિન્સલી સ્ટેટ એ ભારતમાં વિલીન થનારી છેલ્લી રિયાસત હતી જેનું કારણ ત્યાંના નવાબ હમીદ્દુલ્લા ખાન હતા. તેમની ખુબ મોટી રિયાસત ભારતમાં વિલીન થવાથી વિરુદ્ધ હતી અને આપણે સૌ જાણીએ છીએ કે ભોપાલ ભારતમાં સૌથી વચ્ચે આવતો ભૂમિભાગ છે. 1948 માં નવાબ દ્વારા એક સ્વતંત્ર રાષ્ટ્ર બનાવવાની ઘોષણા પણ કરવામાં આવી હતી અને મંત્રીમંડળ સુધીની તૈયારી પણ કરવામાં આવી હતી. આ જોતા અને દીર્ઘદ્રષ્ટિથી વિચારતા સરદાર વલ્લભભાઈ પટેલે નવાબ પર ખુબ જોર લગાવતા આખરે તેમણે પણ 1 જૂન 1949 ના રોજ ભારતમાં વિલીન થવા સહી કરી હતી.
4. કાશ્મીર પ્રિંસલી સ્ટેટ, આ ભૂમિભાગના રાજા હરિ સિંહ દ્વારા પણ બે માંથી કોઈ પણ દેશમાં ન વિલીન થવાના વિચારને સ્પષ્ટતા મળી હતી અને આ રાષ્ટને ભારત દ્વારા પણ કોઈ પ્રકારની જબરદસ્તી કરવામાં નહતી આવી પરંતુ પાકિસ્તાન દ્વારા આ ભૂમિભાગને પોતાનામાં ભેળવવા ઘૂસણખોરી અને લશ્કરી ચઢાઈ દ્વારા પાકિસ્તાનના વિચારોથી ડરતા રાજા હરિસિંહ દ્વારા આખરે ભારતમાં વિલીનીકરણને અનુમતિ આપી હતી.
5. હૈદરાબાદ પ્રિંસલી સ્ટેટ, નિઝામ ઓસમાન અલી ખાન દ્વારા પણ ભારતમાં વિલીન ન થવાને પોતાની મરઝી જણાવી હતી. આ રાજ્ય ખુબ અમીર હતું અને વિશાળ પણ હતું જેથી સરદાર વલ્લભભાઈ પટેલ માટે આ રિયાસતને ભારતમાં ભેળવવી ખુબ જરૂરી પણ હતી અને મુશ્કેલ પણ હતી. આ રિયાસતના નિઝામને પાકિસ્તાનના વડા પ્રધાન મોહમ્મદ અલી જીણાનો મોટો સપોર્ટ હોઈ તેઓ કોઈપણ લશ્કરી કાર્યવાહી માટે તૈયાર હતા. એક સમયે જયારે જીણાની મૃત્યુ થયું ત્યારે સમયસૂચકતા વાપરી વલ્લભભાઈ દ્વારા સૈન્ય કાર્યવાહી કરવામાં આવી અને ઓપરેશન પોલો નામક એક કાર્યવાહી કરી 17 સપ્ટેમ્બર 1948 ના રોજ હૈદરાબાદને પણ ભારતમાં વિલીન કરી દેવામાં આવ્યું .

565 રિયાસતોને એક કરવાનું અને અખંડ મહાન ભારત બનાવવું ખુબ કપરું કામ હતું ત્યારે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા મુશ્કેલ કામને બુદ્ધિમતા સાથે પાર પાડવામાં આવ્યું હતું તેથી જ તેમને એક લોખંડી પુરુષની ઉપાધિ આપવામાં આવે છે અને તેમના જન્મદિવસને રાષ્ટ્રીય એકતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે.


 

Video Source: Live Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

જૈન ધર્મ અને તેમના 10 પ્રમુખ ધાર્મિક સ્થાનો । Jainism and their 10 major religious places

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

વિશ્વભરમાં સેકડો ધર્મ છે જે માનવ સમાજને ભિન્ન પરંતુ એક વિશેષ સમુદાયમાં એક બીજા સાથે જોડી રાખવાનું ચોક્કસ કામ કરે છે. ભારતમાં ધાર્મિકતાની રીતે એક અલગ જ દ્રશ્ય રહ્યું છે જ્યાં ઘણા ધર્મનો ઉદય થયો છે અને આજે પણ એ ધર્મ પોતાની ઊંડી છાપ ધરાવે છે. ભારતમાં હિન્દૂ ધર્મનો ઇતિહાસ હજારો વર્ષો પૂર્વેનો માનવામાં આવે છે પરંતુ એટલો જ જૂનો એક ધર્મ એવો પણ છે જે સિંધુ ઘાટી સભ્યતા વખતે પણ ખુબ ફેલાયેલો હતો અને જેના મૂળ સ્થાનકનો અંદાજો ઇતિહાસના પન્નાઓમાં પ્રસ્થાપિત તો નથી પરંતુ ભારતની જમીન પર જ ફેલાયો છે તેના પાક્કા પુરાતત્વ પુરાવાઓ મળેલ છે. આજે આપણે વાત કરવાના છીએ જૈન ધર્મ વિષે જેને દુનિયા જૈનિઝમ તરીકે પણ ઓળખે છે જેમાં જીવ દયા એ પરમો ધર્મ છે અને તેમના 24 તીર્થંકર તેમના દેવ માનવામાં આવે છે. 

જૈનનો મતલબ કર્મોને ખતમ કરનાર જિન ભગવાનના અનુયાયી થાય છે. જૈન ધર્મમાં કુલ 24 તીર્થંકર થઇ ગયા જેમણે જૈનનો ખુબ વ્યાપ કર્યો હતો. જૈન ધર્મને ભારતનો સૌથી જૂનો ધર્મ પણ ગણી શકાય કેમકે ઇતિહાસના પન્નાઓથી લઇ શીલાલેખો સુધી આ ધર્મના ચોક્કસ પુરાવાઓ મળી આવ્યા છે. જૈન ધર્મના મુખ્ય ત્રણ સ્થંભ છે અહિંસા, બિન-નિરપેક્ષતા અને અપરિગ્રહ (બિન-આસક્તિ). જૈન ધર્મના ઘણા લોકો તેમના ધર્મના પાડવા માટે કુલ 5 શપથ પણ લે છે જેમાં કોઈપણ પ્રકારની હિંસા ન કરવી, હંમેશા સત્ય જ બોલવું, ચોરી ન કરવી, બ્રમ્હચર્યનું પાલન કરવું અને કોઈપણ આસક્તિ ન રાખવી. માનવ સેવા એજ પ્રભુ સેવા તેમજ અહિંસા પરમો ધરમને માનનારો આ ધર્મ વિશ્વભરમાં ખુબ શાંતિ પ્રિય લોક સમુદાય ધરાવે છે. 

જૈન ધર્મના કુલ બે મુખ્ય ભાગ છે જે દિગમ્બર અને શ્વેતામ્બર તરીકે ઓળખાય છે. આ બન્ને જૈન ધર્મના જ ભાગ છે પરંતુ તેમની સેવા કરવાની પ્રથા અને રીત થોડી ભિન્ન હોઈ છે. જૈન ધર્મ ભારતભરમાં મુખ્યેત્વે રાજસ્થાન, ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, કર્ણાટક, ઉત્તર પ્રદેશ અને દિલ્હીમાં તેમના લોક સમુદાય સાથે રહે છે. ભારત સિવાય કેનેડા, યુરોપ, અમેરિકા અને જાપાનમાં પણ જૈન ધર્મના લોકો વસવાટ કરે છે. ભારતમાં 45 લાખથી વધુ જૈન સમુદાયના લોકો રહે છે જે મોટા ભાગે વિવિધ રાજ્યોમાં એક માઇનોરિટી કોમ તરીકે છે. જૈન ધર્મના લોકો મુખ્યત્વે પર્યુષણ અને દાસ લક્ષણા, અસ્થનિકા, મહાવીર જયંતિ, અક્ષય ત્રિતિયાં, રક્ષાબંધન અને દિવાળી જેવા તહેવારો ખુબ ધામધૂમથી ઉજવે છે.

જૈન ધર્મના ઘણા ધાર્મિક સ્થાનો છે જે ખુબ જુના અને પૌરાણિક સમયથી મોજુદ છે. એક ગુજરાતી તરીકે ગર્વની વાત તો એ છે કે તેમના પ્રમુખ 10 ધાર્મિક સ્થાનોમાંથી 2 સ્થાન ગુજરાતમાં અને એ પણ સૌરાષ્ટ્ર વિસ્તારમાં જ મોજુદ છે જેથી સંપૂર્ણ ભારતનો જૈન સમુદાય જિંદગીમાં એક વખતતો ગુજરાતના આ ધાર્મિક સ્થાનો પર અચૂક મુલાકાત લેવા આવે છે. આપણે જોઈએ 10 જૈન પ્રમુખ ધાર્મિક સ્થાનોના નામ અને તેના રાજ્યો સાથે.

10. શિખરજી મંદિર, ઝારખંડ (24 માંથી 20 તીર્થંકરોને આજ મંદિર દ્વારા મોક્ષ પ્રાપ્ત થયેલ હતો)

9. દેલવાડા મંદિર, માઉન્ટ આબુ, રાજસ્થાન (11-12 મી સદી) પાંચ તીર્થંકરોનું મંદિર

8. ફૂલપાકજી મંદિર, તેલંગાણા (10મી સદીમાં બંધાયેલું મંદિર) શ્વેતામ્બર અને પહેલા તીર્થંકરનું મંદિર

7. સોનગીરી મંદિર, મધ્યપ્રદેશ (84 જૈન મંદિરનો સમૂહ- 10મી સદીનું નિર્માણ) 8માં તીર્થંકર ચંદ્રપ્રભુનું મંદિર

6. ધર્મનાથ મંદિર, કેરળ (1904 માં બંધાયેલું મંદિર છે) 15માં તીર્થંકર ધર્મનાથજીના નામથી આ મંદિર બાંધવામાં આવ્યું હતું.

5. ગિરનાર જૈન મંદિર, જૂનાગઢ, ગુજરાત. (દિગમ્બર અને શ્વેતામ્બર બન્ને માટે મહત્વનું તીર્થસ્થાન) 22માં તીર્થંકર ભગવાન નેમિનાથે મોક્ષ પ્રાપ્ત કર્યો હતો. 250 BCE પહેલાનું આ તીર્થસ્થાન સાલ 1190માં આજના રૂપમાં બાંધવામાં આવ્યું હતું.

4. પાલીતાણા મંદિર, શેત્રુંજય પર્વત, ગુજરાત  (863 પાલીતાણા મંદિરોનું સમૂહ જે સૌથી મહત્વનું સ્થાન ધરાવે છે) 11મી સદીનું બાંધકામ કુમાર પાલ દ્વારા કરવામાં આવ્યું હતું જેને પૂર્ણ થતા 900 વર્ષ થયા હતા.

3. રાણકપુર જૈન મંદિર, રાજસ્થાન. (15મી સદીમાં નિર્માણ થયું હતું) પ્રથમ તીર્થંકરનું મંદિર

2. બાવનગજ મંદિર, મધ્યપ્રદેશ. (12મી સદીનું બાંધકામ) પ્રથમ તીર્થંકર આદિનાથની મોટી પ્રતિમા વિશેષતા.

1. ગોમતેશ્વર મંદિર,કર્ણાટક (ભગવાન ગોમતેશ્વરનું મંદિર) 18 મીટર મોટી પ્રતિમા હોવાથી આ મંદિરને લોકો બાહુબલી મંદિર તરીકે પણ ઓળખે છે.

એક ગુજરાતી તરીકે આપણે કદાચ બે મંદિરો તો જોયા હશે જે જૈન સમુદાયના સૌથી વધુ મહત્વના ધાર્મિક સ્થાનોમાંથી એક છે પરંતુ તેના સિવાયના આ દરેક જૈન મંદિરોની મુલાકાત અને દર્શન એક લ્હાવો હોઇ છે તો આપણે આ રાજ્યોમાં જઈએ તો ચોક્કસ મુલાકાત લઈએ અને હજારો વર્ષ જુના ધર્મને નજીકથી જાણીએ.

 


Video Source: Top 10 Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

 

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice