ભારતની સૌથી ચોખ્ખી અને કાચ જેવી પારદર્શક નદી "ઉમંગોટ" | "Umngot" - India's cleanest and crystal clear river

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

આપણે અવારનવાર દેશ-વિદેશના વિવિધ જગ્યાના ચોખ્ખાઈના વખાણ કરવા પડે તેવા ફોટો જોતા હોઈએ છીએ અને ઘણી વાર તો આપણે ચોખ્ખાઈ જોઈ એવું પણ બોલી ઉઠતા હોઈએ છીએ કે કેવું ફોરેનમાં હોઈ એવું ચોખ્ખાઈ છે. ફોટોમાં વિવિધ સાફ-સુતરા દરિયા કિનારાઓ તથા એકદમ બ્લુ દરિયો, ઘરમાં અંદર હોઈ તેવા ચોખ્ખા રોડ-રસ્તાઓ, કાચ જેવું ક્રિસ્ટલ ક્લિર પાણીના વિવિધ સ્ત્રોતો અને પહાડો જોઈ આપણે મનમાં બોલી ઉઠતા હોઈ કે કાશ... આવી ચોખ્ખાઈ આપણા ભારતમાં પણ હોઈ અને આવા સ્થળો આપણા ભારતના આંગણે પણ હોઈ. એવું નથી કે આવું બધું જ વિદેશોમાં જ છે અને ભારતમાં આવી કોઈ જગ્યાઓ જ નથી. આજે ભારતના જ એક એવા જ સ્થળની કાલ્પનિક મુલાકાત આપણે લેવા જઈ રહ્યા છીએ જેના વિષે જાણી અને તેના ફોટો જોઈ તમે પણ બોલી ઉઠશો કે શું આ સાચ્ચે ભારતમાં જ છે?

ભારતનું કુદરતી સ્વર્ગ સમાન રાજ્ય મેઘાલય

આપણા ભારતના ઉતરી-પશ્ચિમે મેઘાલય નામનું એક સુંદર અને કુદરતી દ્રશ્યોથી અમીર રાજ્ય આવેલું છે. તે ભારતના સેવન સિસ્ટરસ કહેવાતા રાજ્યોમાંથી એક છે. આજે આપણે વાત કરવાના છીએ દાવકી નામના ગામડામાં આવેલી નદીની, જે મેઘાલય રાજ્યના કેપિટલ સીટી શિલોન્ગથી 75 કી.મી. દૂર ભારત-બાંગ્લાદેશની સીમા પર આવેલી છે. આ ગામ તેના નયનરમ્ય જેન્તીયાના પહાડોથી ઘેરાયેલું તથા અતિ સુંદર અને કાચ જેવું ચોખ્ખું પાણી ધરાવતી ઉમંગોટ નદી માટે પ્રચલિત છે. જયારે આ ગામ તરફ જઈએ તો પહાડી રસ્તાઓ, ખીણો અને કોતરોથી પસાર થવું પડે છે અને રસ્તામાં ઘણા બધા નાના-નાના ગામડાઓ પણ આવે છે જેમાં માંડ-માંડ 15-20 મકાનો હોઈ અને પુષ્કળ ખેતીની જમીનો જોવા મળે છે. આ ગામના રસ્તામાં આવતા ઠંડા પવનો તમને એક હિલ-સ્ટેશનની યાદ તો જરૂર અપાવી શકે છે.

દાવકી ગામની નયન-રમ્ય સફર

દાવકી ગામ જવા માટે મોટાભાગે લોકો શિલોન્ગથી ગાડીઓ ભાડે કરી લેતા હોઈ છે અને બાંગ્લાદેશની બોર્ડર તરફ જતો આ રસ્તો દાવકી ગામ સુધી પહોંચતા અઢી કલાક તો ચોક્કસ લગાવી દે છે. સારો રસ્તો હોવા છતાં પહાડી રસ્તાઓ ખુબ સમય લઇ લેતા હોઈ છે એમાં ઉપરથી પહાડોની કુદરતી સુંદરતા ખુબ મનમોહક હોઈ છે. જયારે આપણે દાવકી ગામ પહોંચીએ ત્યારે ખાસી અને જેન્તીયા પહાડો વચ્ચેથી નીકળતી ઉમંગોટ નદી જાણે ભારત અને બાંગ્લાદેશને પહાડો સાથે જ અલગ કરતી હોઈ તેવું દ્રશ્યમાન થાય છે. ભારત અને પાકિસ્તાનને જોડતો એક કેબલ બ્રિજ આ નદી પર બાંધવામાં આવેલો છે જે વેપાર-ધંધા માટે વાપરવામાં આવે છે.

ઉંમગોટ નદીની સુંદરતા

ઉમંગોટ નદી તેના પર થતી બોટ-રેસ માટે ખુબ પ્રચલિત છે જે દરવર્ષે માર્ચ-એપ્રિલ મહિનામાં યોજાતી હોઈ છે પરંતુ એ સિવાય પણ લોકો માટે તેનું આકર્ષણ આ નદીમાં નાની હુડકીથી બોટિંગ કરવાનું પણ છે જેમાં લોકો આ નદીના ક્રિસ્ટલ ક્લિયર પાણીમાં તેના નરી આંખે જોઈ શકાતા તળિયાને જ જોયા કરતા હોઈ છે. ઉમંગોટ નદી 15-20 ફૂટ ઊંડી નદી છે પરંતુ ખુબ ચોખ્ખું પાણી હોવાને કારણે લોકો જાણે હવામાં હોઈ એવી રીતે નદીનું તળિયું જોઈ શકે છે. આ નદી પર જયારે સૂર્યપ્રકાશ પડે ત્યારે સિદ્ધાંતમાં જોતા આ નદી લીલાશ પડતી દેખાય છે પરંતુ ઉપરથી જોતા નદી કાચ જેવી પારદર્શક લગતી જણાય છે. 

આ નદી અને સ્થળની મુલાકાત ક્યારે લઇ શકાય?

આપણે સૌ જાણીએ છીએ કે મેઘાલયમાં અતિ ભારે વરસાદ પડે છે એટલે આ રાજ્ય અને તેની સુંદરતાની ઝલક લેવા સૂકી ઋતુઓ જ યોગ્ય કહી શકાય અને દાવકી ગામમાં વરસાદી ઋતુમાં આ નદીનો પ્રવાહ ખુબ તેજ હોવાને કારણે લોકો માટે બોટિંગ બંધ રાખવામાં આવે છે. ઉમંગોટ નદીની સુંદરતા નિહાળવા આપણે નવેમ્બરથી એપ્રિલ મહિનાને જ પસંદ કરવું જોઈએ જેથી ધરતી પરના સ્વર્ગને આપણે માત્ર જોઈ નહિ પરંતુ મહેસુસ પણ કરી શકીએ. આવી ચોખ્ખી નદી ભારતના દરેક ખૂણે નથી જોવા મળી શકે તેમ ત્યારે જિંદગીમાં એક વખત આ લ્હાવો લેવાનું આપ પણ ભૂલશો નહિ.  

 

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

મધમાખી ખતમ તો દુનિયા ખતમ | The world is over if the bees are gone

by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

પૃથ્વીને અંગ્રેજીમાં "અર્થ" કહેવાય છે અને પૃથ્વી જ આપણી જાણનો એકમાત્ર જીવંત ગ્રહ છે. અવકાશમાં રહેલા કરોડો ગ્રહો અને તારાઓમાં આપણી પૃથ્વી પર જ જીવન શક્ય છે અને આ જીવન માત્ર માનવીય નહિ પરંતુ જીવ, જંતુ, પ્રાણીઓ, પક્ષીઓ, જીવાતો, વૃક્ષો અને અનેક સજીવોથી બનેલું છે. આ પૃથ્વી પરના દરેક સજીવો એક બીજા પર નિર્ભર છે તે આપણે જાણીએ જ છીએ અને એ દરેક, એક આહારકળી અંતર્ગત એક બીજા સાથે જોડાયેલા પણ છે.

પૃથ્વી પરની અનેકો પ્રજાતિ અને તેનું ચક્ર,

જે પૃથ્વી પર આપણે રહીએ છીએ એ પૃથ્વી પર કરોડોથી વધુ સજીવો વસવાટ કરે છે અને આ દરેક સજીવો કોઈને કોઈ રીતે આ પૃથ્વી પર રહેલી જીવનની આશાને જીવંત રાખવા મદદ કરે છે. હા એ વાત સાચી છે કે દરેક જીવ કોઈને કોઈનો ખોરાક છે એટલે તેનું જીવનનો અંત કોઈનું જીવન ટકાવી શકે છે. માનવી બુદ્ધિજીવી હોવાથી પોતાને સૌથી મહત્વની પ્રજાતિ ગણાવે છે અને પોતાના વિકાસ અને ભોગ-વિલાસ માટે અકુદરતી સંસાધનો ઉભા કરવામાં જ પોતાનું જીવન માને છે અને જેના કારણે આ કુદરતી વાતાવરણને નુકશાન થતા ઘણી પ્રજાતિઓ નાબૂદ પણ થઇ રહી છે. આ પૃથ્વી પર જેટલી પ્રજાતિઓ છે તેમાંથી દરેક પ્રજાતિ તેની જગ્યાએ ખુબ જરૂરી છે પરંતુ એક એવી પ્રજાતિ છે જેને દુનિયાની સૌથી મહત્વની પ્રજાતિ ગણવામાં આવી છે અને એ પ્રજાતિનો અંત એટલે સંપૂર્ણ પૃથ્વીનો અંત કહેવામાં આવી રહ્યો છે. 

"મધમાખી" શા માટે ખાસ જરૂરી છે?

મધમાખી કે જેને આપણે માત્ર મધ આપનારી માખી તરીકે જ ઓળખીએ છીએ એ મધમાખીને લંડનની રોયલ જિઓગ્રાફિકલ સોસાયટીએ દુનિયાની સૌથી મહત્વની અને નજીકના ભવિષ્યમાં વિલુપ્ત થઇ શકે તેવી પ્રજાતિમાં શામેલ કરેલ છે. દુનિયામાં ઉગતી 70% વનસ્પતિ, શાક, ફ્રૂટ, ધાન્ય, કઠોળ જેવી અનેકો એગ્રિકલચર વસ્તુઓ માત્ર અને માત્ર મધમાખીને કારણે ઉગે છે. આ થોડું વિચિત્ર છે કે જમીન, હવા, પાણી, ખાતર અને સૂર્યપ્રકાશને કારણે દરેક વનસ્પતિ ઉગતી હોઈ છે ત્યારે મધમાખી તો એવું શું કામ કરે છે કે તેના વિના 70% ખોરાક ઉગી ના શકે? કારણ કે મધમાખી એક ખુબ ઉદ્યમી જીવ છે, જે નિરંતર એક વનસ્પતિના ફૂલથી બીજા પર ફર્યા કરે છે અને જેના કારણે એક ફૂલપર રહેલી પરાગરજ તેના પગ પર ચોંટી જાય છે અને બીજા ફૂલ પર જતા તે ફૂલ ભવિષ્યમાં પોતાનો ખોરાક (ફળ અથવા બીજ) તૈયાર કરી શકે છે. આજે આપણે જે પણ ખાઈએ છીએ તેવી 100 માંથી 70 વસ્તુ આ મધમાખીને આભારી જ હશે. 

આરોગ્ય વર્ધક અને પોષ્ટીક ગણાતું મધ,

મધમાખી જ માત્ર દરેક વિવિધ ફૂલોનો રસ એકઠો કરી એક અમૃતની રચના કરી શકે છે જેને આપણે સૌ "મધ" તરીકે ઓળખીએ છીએ. આજે તો મધમાખીના પ્રોફેશનલ ફાર્મની અંદર વિવિધ ફુલરસના મધ તૈયાર કરવા લાગ્યા છે ત્યારે મધમાખી કુદરતી રીતે પણ અનેકો ફૂલો અને વૃક્ષો પરથી પોતાનો મીઠો ખોરાક તૈયાર કરે છે જે માનવીને એક અમૃત પ્રદાન કરે છે.

એક ખાસ વાત એ પણ છે કે,

એ સિવાય મધમાખી એક એવું જીવ-જંતુ છે જે કોઈપણ પ્રકારના વાયરસ કે રોગ જન્ય બેક્ટરિયાને વહન કરતું નથી જેથી ક્યારેય તે કોઈપણ રોગચાળો ફેલાવી શકે નહિ. 

એક ખુબ ગંભીર બાબત,

દુનિયાની 90% મધમાખીઓ આજે છેલ્લા થોડા જ વર્ષોમાં ખતમ થઇ ગઈ છે જેનું કારણ જંગલોનો નાશ, રાસાયણિક ખાતરોના કૃષિ ક્ષેત્રે ઉપયોગો, પ્રદુષણ તેમજ શહેરોના કોન્ક્રીટ જંગલો છે. મધમાખી કુદરતની એ કળીનો હિસ્સો છે જેના કારણે માત્ર માનવી જ નહિ પરંતુ ઘણા માત્ર મધ પર જીવનારા કીટકો અને પક્ષીઓ માટે પણ જીવનની રાહ છે. મધમાખીને બચાવવા માટે દુનિયાભરના ઘણા દેશો ખુબ જાગૃત થયા છે અને તેઓ ઘણી મુહિમ અને પ્રોગ્રામ ચલાવી આ ખુબ અગત્યની પ્રજાતિને બચાવવા ખુબ જહેમત ઉઠાવે છે પરંતુ ભારતમાં આજે ખુબ ઓછા લોકો જાણે છે કે આપણે જો આ મધમાખીને નહીં બચાવીએ તો ભવિષ્ય આપણું પણ ખુબ ધૂંધળું જ છે.

 

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

સ્વદેશી કમ્પની મહિન્દ્રા & મહિન્દ્રાનો ઇતિહાસ | Indigenous Indian company Mahindra and Mahindra (M&M)'s History

 by Dr. Hardik Ramani  

આપણે જયારે સ્વદેશી અને મજબૂત ટીકાઉ ઑટોમોબાઇલ કંપનીઓની વાત કરીએ ત્યારે કદાચ સૌથી ભરોસેમંદ કમ્પની તરીકે મહિન્દ્રાનું નામ ચોક્કસ સાંભળવા મળતું હોઈ છે જેનું કારણ છે મહિન્દ્રાની જૂની જીપો, બોલેરો, સ્કોર્પિઓ જેવી પેસેન્જર ગાડીઓ અને આજે તો XUV સિરીઝની વિવિધ કાર્સ અને થાર જેવી જીપ કન્સેપ કારે તો માર્કેટમાં ધૂમ મચાવી છે. વર્ષોથી મહિન્દ્રા દ્વારા લોન્ચ થયેલી પર્સનલ, ફેમેલી અને કોમર્શિયલ ગાડીઓ માર્કેટમાં ખુબ સફળતા સાથે ફરતી જોવા મળી રહી છે. 

મહિન્દ્રા કંપની માત્ર ગાડીઓ કે યુટીલીટી વેહીકલ્સ જ નથી બનાવતું પરંતુ મહિન્દ્રાનું એક ડિવિઝન ટ્રેકટર પણ બનાવે છે અને નવાઈની વાત તો એ છે કે મહિન્દ્રા કંપની સંપૂર્ણ વિશ્વમાં સૌથી વધુ વધુ ટ્રેકટર બનાવનારી અને વેચનારી કંપની છે. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની દ્વારા દર વર્ષે રેકોર્ડ 1,50,000 થી વધુ ટ્રેકટરનું નિર્માણ કરવામાં આવે છે અને ગતવર્ષની મંદીના સમયમાં પણ 85,000 થી વધુ ટ્રેકટર મહિન્દ્રા દ્વારા વેચવામાં આવ્યા હતા. મહિન્દ્રા ટ્રેક્ટરનો સૌથી મોટું માર્કેટ ભારત અને ચીનમાં છે. એ સિવાય ભારતીય ઉપખંડ, યુનાઈટેડ સ્ટેટ્સ, ઑસ્ટ્રેલિયા, સર્બિયા, ચિલી, સીરિયા, ઈરાન અને આફ્રિકન ખંડના મોટા ભાગમાં પણ મહિન્દ્રા પોતાના ટ્રેકટરનું સફળતાપૂર્વક વેચાણ કરે છે. 

મહિન્દ્રા ગ્રુપ ઓફ કંપનીઝ આજે એરોસ્પેસ, એગ્રીબિઝનેસ, આફ્ટરમાર્કેટ, ઓટોમોટિવ, બાંધકામ સાધનો, સંરક્ષણ, ઉર્જા, ફાર્મ ઇક્વિપમેન્ટ, ફાઇનાન્સ અને ઇન્સ્યોરન્સ, ઔદ્યોગિક સાધનો, ઇન્ફોર્મેશન ટેક્નોલોજી, લેઝર અને હોસ્પિટાલિટી, લોજિસ્ટિક્સ, રિયલ એસ્ટેટ, રિટેલ અને  શિક્ષણ ક્ષેત્રોમાં હાજરી ધરાવે છે જેની 71 જેટલી વિવિધ પેટા કંપનીઓ પણ છે જેની કુલ રેવન્યુ 21.9 બિલિયન ડોલર્સ કરતા વધુ છે. આજે મહિન્દ્રા અને મહિન્દ્રા કંપનીમાં 2,50,000 થી વધુ એમ્પ્લોયી કામ કરી રહ્યા છે અને તેઓ પોતાની કોઈને કોઈ પ્રોડક્ટ અને બ્રાન્ડ 100 થી વધુ દેશોમાં ફેલાવી ચુક્યા છે.

મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કંપની વિષે તો હાલની ઘણી જાણકારી આપણે લીધી પરંતુ સાચી જાણકારી તેમના ઇતિહાસમાં છુપાયેલી છે. 2 ઓક્ટોબર 1945 એટલે કે ભારત આઝાદ થયું એ પહેલા લુધિયાણા, પંજાબમાં સ્ટીલ ઉધોગ તરીકે એક કંપની શરુ થઇ હતી. ત્રણ મિત્રો જેમાંથી બે સગા ભાઈઓ જે.સી.મહિન્દ્રા - કે.સી.મહિન્દ્રા હતા અને તેમના મિત્ર મલિક ગુલામ મુહમ્મદ દ્વારા મુહમ્મદ એન્ડ મહિન્દ્રા (M & M) કંપનીની સ્થાપના થઇ હતી. કંપનીની સ્થાપનાના માત્ર બે જ વર્ષમાં ભારત આઝાદ થયું અને ભારતના ભાગલા પડ્યા જેમાં મલિક ગુલામ મુહમ્મદ સાહેબ પાકિસ્તાન જતા રહ્યા અને તેઓ પાકિસ્તાની સરકારના વિત મંત્રી બન્યા પરંતુ કમ્પનીની દોર બન્ને ભાઈઓએ ખુબ સારી રીતે સંભાળી રાખી હતી જેથી કંપનીનું નામ 1948 માં બદલી મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા કરી દેવામાં આવ્યું હતું. 

સ્ટીલ ઉધોગોમાં ટૂંકા સમયમાં માહિર થઇ જવાને કારણે તેમણે યુ.કે. માં પણ સ્ટીલનું કામ શરુ કરી દીધું હતું તેમજ વહીલી જિપ્સ બનાવવાનું પણ કાર્ય શરુ કરી દીધું હતું. 1956 માં મહિન્દ્રા કંપની બોમ્બે સ્ટોક એક્સચેન્જમાં રજીસ્ટર પણ થઇ ચુકી હતી અને જે બાદ 1969 સુધીમાં યુટીલીટી વાહનોનું એક્સપોર્ટ પણ કંપની દ્વારા શરુ કરી દેવામાં આવ્યું હતું. મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાના આજે ખુબ પૈસા કમાઈ આપતા ડિવિઝન ટ્રેકટર અને ટેક મહિન્દ્રા પણ 1982 અને 1986 માં શરુ કરી દેવામાં આવ્યા હતા. 

મહિન્દ્રા કંપનીની મોટા સપનાઓની ઉડાન 1994 પછી લાગી હતી જયારે આ કંપની એટલું મોટું સ્વરૂપ લેવા લાગી હતી કે તેમની પેટા પાંખો, પ્રોડક્ટ્સ અને વિવિધ દેશોની સફર ખુબ વધવા લાગી હતી. એ સમય પછી કંપનીને વિવિધ ભાગોમાં વેચી ડિવિઝન્સ કરવા પડ્યા હતા. 2000 ની સાલમાં નવા મેનેજીંગ ડિરેક્ટર તેમજ આજના એક્ષેકયુટીવ ચેરમેન આનંદ મહિન્દ્રા દ્વારા નવા લોગો સાથે મહિન્દ્રાની સૌથી સફળ ગાડી સ્કોર્પિઓ લોન્ચ કરવામાં આવી હતી. આ સમય પછી મહિન્દ્રા કંપની વધુ ને વધુ શિખરો સર કરતી રહી અને આજે એક મોટું બિઝનેસ એમ્પાય આપણે સૌ જોઈએ છીએ.

 


 Video Source: Live Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

સસ્તું પરંતુ ખુબ જરૂરી તત્વ "નમક" | What if the cheap but much needed element "salt" disappears from this world?

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

આપણે સૌ જાણીએ છીએ કે દુનિયાની કોઈપણ ખાવાની વાનગી હોઈ જો એ વાનગીમાં સ્વાદાનુસાર નમક એટલે કે મીઠું ઉમેરવામાં ન આવ્યું હોઈ તો તેમાં નંખાયેલા દરેક મિર્ચ-મસાલા અને ઇન્ગ્રેડિયટ્સ સરવાળે શૂન્ય થઇ જાય છે અને એટલે જ તો આ જરૂરી એવા મીઠા વિષે તો ગુજરાતી રૂઢિના પ્રયોગો પણ છે. "આ વ્યક્તિમાં તો સાવ મીઠું જ નથી" પણ, હકીકતથી આ મીઠું વળી કહેવત તો બુદ્ધિ સાથે સરખાવામાં આવી છે તો શું મીઠું અને માનવ બુદ્ધિ વચ્ચે કોઈ કનેક્શન છે ખરા કે માત્ર સ્વાદનો જ પર્યાય છે આ મીઠું?

હકીકતથી તો વધુ નમક વાળો ખોરાક આપણા શરીરમાં ઘણા રોગોને જન્મ આપી શકે છે અને વધુ નમક સાથેનો ખોરાક તમારી યાદશક્તિને નુકશાન પણ પહોંચાડી શકે છે. નમકના દુર્ગુણો તો ખુબ જાજા છે એટલે તેને સમજતા પહેલા નમક વિષે આપણે કંઈક નવું જાણીએ. નમક જે સાધારણ મીઠા તરીકે પણ ઓળખાય છે જેને જમવાના ઉપયોગમાં વધુ લેવામાં આવે છે. રાસાયણિક રીતે મીઠું એટલે સોડિયમ અને ક્લોરાઇડના મિશ્રણને (NaCl) કહી શકાય. આ પદાર્થનું સ્વરૂપ ક્રિસ્ટલ અને ઘન હોઈ છે જે કાચની જેમ પારદર્શક અને રંગહીન હોઈ છે. પરંતુ ધાતુમય અશુદ્ધિઓને કારણે ઘણી વાર તે પીળું કે લાલ પણ પડતું હોઈ છે. મીઠાની ઠંડા પાણી અને ગરમ પાણીમાં મિક્સ થવાની ફિતરત અલગ-અલગ હોઈ છે તેમજ બરફ સાથે મળવાથી તે તાપમાનને વધુ નીચે રાખવા પણ મદદ કરે છે. હકીકતથી મીઠાના બન્ને તત્વ સોડિયમ અને ક્લોરાઇડ બન્ને એકલા કે વિખુટા આપણા શરીરને મોત પણ આપી શકે છે કેમકે સોડિયમ પાણી સાથે ભળે તો વિસ્ફોટક બની જાય છે અને ક્લોરાઇડ હવામાં ભળે તો ઝેરી વાયુ પરંતુ બંને જયારે મિશ્રિત થાય તો માનવી માટે સૌથી મોટી ચમત્કારિક વસ્તુ બને છે. 

આજે આપણે જે નમક ખાઈએ છીએ એ સમુદ્રના ખારા પાણીથી બનાવેલું પ્રોસેસ નમક છે પરંતુ હજારો વર્ષોથી જે નમક માનવી દ્વારા ખવાતું આવ્યું છે એ નમક પહાડીઓથી ખડક સ્વરૂપે મેળવેલ નમક હતું. આજે પણ સિંધારું નમક કે જે સિંધ વિસ્તારથી ત્યાંની મોટી ખાણોથી ખડક સ્વરૂપે ખનન કરાતું આવેલું નમક છે જે આયુર્વેદ મુજબ વૈદિક સમયમાં પણ વજૂદ ધરાવતું હતું. ચરક ઋષિ દ્વારા લખાયેલા ચરક સંહિતામાં આપણા મહાન અને પૌરાણિક ભારતની તબીબી વિજ્ઞાન ક્ષેત્રે કેટલી મોટી ઉપલબ્ધી હશે તે જાણી શકાય છે. જુના સમયથી યાદ આવ્યું કે હજારો વર્ષોના માનવ ઇતિહાસમાં કેટલી લડાઈઓ માત્ર આ નમક માટે થઇ છે. વિવિધ શહેરોના નામ પણ નમક પરથી જ પડ્યા છે ત્યારે કેટલાય દેશોની અર્થવ્યવસ્થા પણ માત્ર નમક પર જ ટકેલી છે જેની વાત આપણે બીજા કોઈ દિવસે કરીશું પરંતુ એક વાતનો ઉલ્લેખ જરૂર કરવો પડે કે આપણા ગાંધીજીએ પણ દાંડી કૂચ આ નમક માટે જ કરી હતી અને કહ્યું હતું કે "નમક કે કાનૂન તોડ દિયા".

નમક વિના જે ખોરાક સ્વાદવિનાનો લાગે છે તે ખોરાક ખરેખર તો પૌષ્ટિક છે એ પણ હકીકત છે કેમકે નમક તેના સ્વાદીય ગુણોની સાથોસાથ ખરાબ ગુણો પણ શરીરને આપે છે. નમકથી સૌથી મોટી મુશ્કેલી હાઈ બ્લડ પ્રેશરના રૂપમાં પડે છે. વૈજ્ઞાનિક રીતે શરીરમાં નમકની સુરક્ષિત માત્રા 2 થી 3 ગ્રામ જેટલી હોઈ છે જયારે આપણે રોજના આહારમાં 9 થી 12 ગ્રામ ઓછામાં ઓછું ગ્રહણ કરતા હોઈશું. સામાન્ય રીતે હાઈ બ્લડ પ્રેશર, હૃદયરોગ. સ્ટ્રોક્સ જેવા જાનલેવા રોગોની સાથોસાથ વધુ નમક લેવાથી શરીરમાં બીજીપણ ઘણી આડઅસરો જોવા મળતી હોઈ છે. વારંવાર પેસાબ લાગવો, સતત તરસ લાગવી, વિચિત્ર સ્થળોએ સોજા થવા, વારંવાર માથું દુખવું તેમજ ખારા ખોરાક જ ખાવાની આદત લાગવી આ વધુ નમક ખાવાના આડઅસરો છે. ઘણા ડોક્ટર્સ તો નમકને સફેદ ઝેર જ ગણાવતા હોઈ છે ત્યારે એક પ્રશ્ન તો જરૂર થાય કે આ નમક જ દુનિયામાં ન હોત તો શું થાય? અને નમકના બધા નબળા પાસ જોયા પછી શું કોઈ સારા પાસા પણ છે ખરા?

એક સમય હતો કે પશ્ચિમી વિસ્તાર કે જ્યાં રોમન સામ્રાજ્ય હતું ત્યાં સિપાહીઓને પગારના સ્વરૂપમાં નમક આપવામાં આવતું. નમકને અંગ્રેજીમાં સોલ્ટ કહેવાય છે જેનાથી પગારનો પણ અંગ્રેજી શબ્દ "Salary" SALT પરથી જ પડ્યો હતો. હવે સમજાણું કે જુના હિન્દી પિક્ચરોમાં હીરો તેના શેઠને "મેને આપકા નમક ખાયા હૈ" એવું શા માટે કહેતા.

 હકીકતથી નમકના 14,000 થી પણ વધુ ઉપયોગ છે પરંતુ સામાન્ય રીતે નમક હજારો વર્ષોથી ખોરાકને કીટાણુ મુક્ત રાખવા, સુરક્ષિત રાખવા મીઠાના પાણીમાં બોળીને રાખીએ છીએ અથવા બોળી સુકવણી કરીએ છીએ. અથાણું, વિવિધ કાચરીઓ, પાપડ અને ન જાણે એવી હજારો ખાવાની વસ્તુ નમક વિના લાંબા સમય સુધી સચવાય જ નહિ. હજારો વર્ષોથી લાગેલા ઘાવ હોઈ કે રાજા-રાણીઓના શબને સાચવવાના હોઈ ત્યારે નમકનો કોઈ પર્યાય જ નથી. પશ્ચિમી દેશોમાં ગુડ લક માટે મીઠું વપરાય છે તો ભારતમાં નજર ઉતારવા કે તાંત્રિકી અને કાળા જાદુની વિધિઓમાં પણ નમક જ મોખરે હોઈ છે.

નમકનો ઉપયોગ આપણને સામાન્ય ખબર હોઈ તેવી બધી પ્રક્રિયાથી વિશેષ ઇન્ડસ્ટ્રીમાં ડી-આઈસીંગ, કેમિકલ પ્રોસેસિંગ, આઈસ સ્ટોરિંગ, વોટર ટ્રીટમેન્ટ, ફાર્મિંગ અને ક્રૂડ ઓઇલના ઉધોગોમાં વિપુલ પ્રમાણમાં થાય છે ત્યારે આ નમક વિના શું થાય તેનો ખ્યાલ આપણા શરીરથી શરૂ કરીએ. નમક એટલે કે સોડિયમ ક્લોરાઇડ વિના આપણા શરીરને શું નુકશાન થઇ શકે તેની શરૂઆત કરીએ. શરીરના દરેક નર્વ સિગ્નલ માત્ર NaCl જ મોકલતા કરી શકે છે જેનાથી દરેક પ્રક્રિયા શરીરના વિવિધ અવયવો કરી શકે. એ સાથે પોષક તત્વો પચાવા અને વિવિધ બાહ્ય સંક્રમણોથી બચાવવા પણ નમક જ મદદ કરી શકે. લોહીમાં ઓછા સોડિયમ લેવલથી થાક લાગી શકે, ઉબકા આવવા અને સ્ટ્રોક્સ પણ આવી શકે છે. અને જો એ વધે તો માણસનું મૃત્યુ પણ થઇ શકે. 

આપણે તો નમક વિના જીવી ના શકીએ પરંતુ વનસ્પતિ અને પ્રાણીઓ પણ નમક વિના જીવી શકે નહિ કેમકે દરેક જીવ-જંતુનો આધારભૂત છે નમક. મહાસાગરોના પાણીથી જો મીઠું ખતમ થઇ જાય તો સૌથી પહેલા દરિયાયી અળગી અને કોરલ્સ નાબૂદ થાય જેનાથી પૃથ્વીપર થતું 50% કરતા વધુ ફોટો સિન્થેસિસની પ્રક્રિયા મંદ પડી જાય. વૃક્ષો દિવસે ને દિવસે નષ્ટ થવા ળગે જેથી કાર્બન સાયકલ પણ ખોરવાઈ જાય જે જલવાયુને પણ ખરાબ રીતે પ્રભાવિત કરી શકે. તો નમક એ આપણી જ નહિ પરંતુ સંપૂર્ણ પૃથ્વીની જરૂરત સમાન છે. તો આજથી જ સસ્તું પણ ખરું સોનુ એવું નમકને પ્રમાણસર જ ખાવાનું પસંદ કરીએ અને સુરક્ષિત રહીએ. આ લેખ વાંચ્યા પછી હજુ પણ નમકના સારા ઉપયોગો તમને ખ્યાલ હોઈ તો તમે કોમેન્ટ કરી જરૂરથી જણાવશો.

 

 Video Source: What if,  Hindi (YouTube Channel)

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice