વિશ્વની અજાયબીમાં શામિલ કરી શકાય તેવું કૈલાશા મંદિર | Kailasha Temple, one of the wonders of the world

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

આપણે જાણીએ જ છીએ કે પ્રાચીન ભારત તેના ભવ્ય વારસા માટે દુનિયાભરમાં પ્રચલિત હતું. એક સમયે વિશ્વભરની 70% સંપત્તિ માત્ર ભારત પાસે જ હતી અને તેથી જ અંગ્રેજો પણ ભારતને સોનાની ચીડિયાથી જ ઓળખતા હતા. ભારતભરમાં છેલ્લા હજારો વર્ષોમાં કેટલાય વિદેશી આક્રમણકારીઓ આવ્યા અને પોતપોતાની રીતે આવી લૂંટી જતા રહ્યા તો ઘણાએ આ ભૂમિને પોતાની માતૃભૂમિ તરીકે સ્વીકારી પણ લીધી. આજે અર્વાચીન ભારતમાં આવા ઘણા સ્થાપત્યો, તીર્થો, મહેલો અને ઇમારતો અડીખમ ઉભી છે અને વિશ્વભરથી સહેલાણીઓને આકર્ષિત પણ કરી રહી છે ત્યારે ભારતમાં એવા મંદિરો અને સ્થાપત્યો પણ હજુ મોજુદ છે જેનો ઇતિહાસ પ્રાચીન સમયનો છે. 

કૈલાશા મંદિર-ઈલોરા

મહારાષ્ટ્રના ઔરંગાબાદ જિલ્લામાં આવેલી ઇલોરાની ગુફાઓમાં એક રહ્સ્યમયી શિવ મંદિર આવેલું છે જે ખરેખર આપણા દેશની અજાયબી જેવું છે. આ મંદિરની બનાવટ ઉપરથી પથ્થરને કોતરતા કોતરતા બનાવવામાં આવેલું છે. આ મંદિર વિશ્વભરમાં એક બેનમૂન મંદિર છે કેમકે આ મંદિરનો આકાર, મોટો કદ અને તેમાં થયેલી કોતરણી અને કારીગરી વિશ્વભરમાં એકમાત્ર બનાવે છે. આ મંદિરની ઊંચાઈ 32.6 મીટર એટલે કે 107 ફૂટ જેટલી છે. આ મંદિર બનાવવા માટે એકજ મોટી પથ્થરની શિલાનો ઉપયોગ કરવામાં આવ્યો હશે તે જોતા જ માલુમ પડી જાય છે. ઇલોરાની આ ગુફાઓમાં 35થી વધુ જૈન, બૌદ્ધ અને હિન્દૂ મંદિરો કોતરણી દ્વારા બનવવામાં આવેલા છે જેમાંનું કૈલાશા મંદિર સૌથી મોટું છે.  

શું છે ઇલોરાની ગુફાઓ? અને શું છે તેનો ઇતિહાસ?

ઇલોરાની ગુફાઓને UNESCO વર્લ્ડ હેરિટેજ સાઈટ તરીકે માન્યતા મળેલી છે જે વિશ્વભરની આવી પ્રાચીન જગ્યાઓનું રક્ષણ તેમજ રિસર્ચ કરવા માટેની સંસ્થા છે. આ ગુફાઓ છઠ્ઠી થી દસમી સદીમાં બનેલી હોવાનું વૈજ્ઞાનિકો અને આર્કિઓલોજીસ્ટનું માનવું છે. આ જગ્યામાં અંદાજિત 100 થી વધુ ગુફાઓ છે જે તે સમયના રાજવી અને લોકો દ્વારા એક મોટા પથ્થરને કાપી બનાવવામાં આવી છે. આ ગુફામાંથી 34 ગુફાઓ લોકો માટે ખુલ્લી મુકાયેલી છે જેમાંથી 17 હિન્દૂ ધર્મને લગતા ચિત્રણ અને સંસ્કૃતિ દર્શાવતી ગુફાઓ છે. 12 ગુફાઓ બૌદ્ધ ધર્મને લગતી ગુફાઓ છે જયારે 5 ગુફાઓમાં જૈન ધર્મને લગતા શિલ્પીઓ કોતરવામાં આવી છે. આ કોતરણી અને કારીગરી એકબીજાથી એટલી જોડતી અને નજીક દર્શાવામાં આવી છે જે એ સમયની સાંપ્રદાયિક એકતાને દર્શાવે છે. વૈજ્ઞાનિકો દ્વારા એવું મનાય છે કે ઈલોરાની ગુફાઓ અને દરેક કારીગરી એ સમયના રાષ્ટ્રકુટા રાજવીઓ દ્વારા હિન્દૂ અને બૌદ્ધ ધર્મની મહાનતા દર્શાવવા કોતરવામાં આવી હશે ત્યારે યાદવા રાજવંશના સમયમાં જૈન ગુફાઓ અને કોતરણી કરવામાં આવી હશે. ઈલોરા નામ તેના પ્રાચીન નામ એલોપુરમ પરથી લેવામાં આવ્યું છે.

ગુફા નમ્બર 16 શા માટે ખાસ છે?

કહેવાય છે કે રાષ્ટ્રકુટા રાજવીઓ દ્વારા એક મહાન શિવ મંદિર બનાવવાના હેતુથી જ આ ગુફાઓનું નિર્માણ કરવામાં આવ્યું હતું તેથી 16 નંબરની ગુફાના પટાંગણમાં અદભુત આર્કીટેક, એંજીન્યરિંગ અને સચોટ માપનથી પથ્થરને તેની ટોંચથી કોતરણીથી શરુ કરી છેક તેના પાયા સુધી કોતરકામ કરી હજારો મોટા પથ્થરોને કોતર્યાં હોઈ તેટલો કપચાને બહાર કાઢતા એક એવું નિર્માણ બન્યું કે જે ખરેખર અદભુત છે. તે અન્ય હિંદુ મંદિરોની જેવા જ દેખાવ સાથે એક દરવાજાનો ભાગ, એક એસેમ્બલી હોલ અને એક બહુમાળી મુખ્ય મંદિર છે જે ચોરસના સિદ્ધાંત અનુસાર અસંખ્ય મંદિરોથી ઘેરાયેલું છે. પરિક્રમા માટે એક સંકલિત જગ્યા, ગર્ભગૃહ જેમાં શિવ લિંગ તથા અંદરના ભાગની પણ ઉત્કૃષ્ટ કોતરણી તેમજ કૈલાશ પર્વત જેવા જ દેખાવ આપવાના પ્રયત્ન સાથે સંપૂર્ણ મંદિરને એક જ ખડકમાંથી કોતરવામાં આવ્યું છે.

આ મંદિરનું કદ કેવડું છે?

આ મંદિરની ઊંચાઈ 32.6 મીટર એટલે કે 107 ફૂટ જેટલી છે તથા સંપૂર્ણ પરિસર એક નાના ક્રિકેટ ગ્રાઉન્ડ જેટલી સાઈઝનું છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે આ મંદિર બનાવવા માટે 30 લાખ વર્ગ ફૂટ જેટલા પથ્થરોને કોતરી બહાર કાઢવામાં આવ્યા હોવા જોઈએ જેનો અંદાજિત વજન 2લાખ ટન જેટલો થયો હશે. આ મંદિરનું આંગણું પાયામાં 82 મીટર X 46 મીટર અને 30 મીટર ઊંચુ (280 × 160 × 106 ફૂટ) છે. મંદિરના પટાંગણમાં શિવજીનું વાહન નંદી પણ આવેલા છે જે પણ એક આકર્ષણનું કેન્દ્ર છે. આ મંદિરની આસપાસ મોટા હાથીની કોતરણી તેમજ, દરેક હિન્દૂ ભગવાનની મૂર્તિઓ, મહાભારત અને રામાયણ દર્શાવતી દીવાલો આ મંદિરને ખરેખર વિશ્વની એક અજાયબી તરીકે ખ્યાતનામ કરવા પૂરતું જ છે.


 Image Courtesy: Google Images

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

1 comment:

Smit Parmar. said...

This temple is a master piece. Its one of the great monuments that Indians should take pride of. Every Indian text books should have a topic on fine architect and crafts work done with more then three generations.

What I find more astonishing is the people who started building this temple never got to a chance to see the completed structure. Wow!

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice