દુનિયાની મોટી-મોટી કંપનીઓના સૌથી ઊંચા પદ પર ભારતીયોનો દબદબો કાયમ રાખતા "પરાગ અગ્રવાલ" | "Parag Agarwal" maintains Indian dominance in the highest positions of the world's largest companies

 by Dr. Hardik Ramani  

નમસ્કાર મિત્રો,

29 નવેમ્બર 2021 ના રોજ વિશ્વની એક ખ્યાતનામ કંપની Twitter ના C.E.O. જેક ડોરસે એ પોતાના પદથી રિઝાઈન આપ્યું અને જાહેરાત કરી કે પરાગ અગ્રવાલ હવેથી આપસૌના નવા સી.ઈ.ઓ. હશે જે જાહેરાતે વિશ્વભરમાં એક ચર્ચાનું વાતાવરણ ઉભું કર્યું અને થાય શા માટે નહિ? કેમકે Twitter એ સોશિયલ મીડિયાનું એક ખુબ પ્રચલિત માધ્યમ છે જેને લોકો માઇક્રોબ્લોગિંગ ટૂલ તરીકે પણ ઓળખે છે જેમાં કોઈપણ વ્યક્તિ પોતાના કોઈપણ મંતવ્યો, વિચારો, પોતાના નિર્ણયો અને વાત રજુ કરી શકે છે જેમાં આજકાલ દેશ-વિદેશના પોલિટિશ્યનો અને વિવિધ ફિલ્મી તથા ખેલ-કૂદના સિતારોતો પોતાની વાતને ઓફિશિયલ વાચા પણ આ ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી જ આપે છે. આજે આપણા દેશના વડાપ્રધાન હોઈ કે વિશ્વભરના કોઈપણ પ્રચલિત શખ્સહિયત, પોતાની ખુશી વ્યક્ત કરવાની વાત હોઈ કે દુઃખ દર્શાવાની વાત હોઈ, તેઓ તેને પોતાના ટ્વીટર હેન્ડલથી જ મેસેજ છોડી કરોડો લોકો સુધી પહોંચાડે છે.

Twitter વેબસાઈટનો ઇતિહાસ અને લેખા-જોખા

Twitter માર્ચ 2006 માં જેક ડોર્સી, નોહ ગ્લાસ, બિઝ સ્ટોન અને ઇવાન વિલિયમ્સ દ્વારા બનાવવામાં આવ્યું હતું. Twitter નો સિમ્બોલ બ્લુ રંગના પક્ષી કે જે કલરવ કરવા માગતું હોઈ તેવો છે અને તેમાં છોડતા મેસેજો પણ પક્ષીના અવાજ "Twitt" (ટ્વીટ)ના નામથી જ ઓળખાય છે. શરૂઆતના વર્ષોમાં જે વેબસાઈટ માત્ર એક મેસેજના રૂપમાં Social Networking પૂરતી સીમિત હતી તે આજે મેસેજની સાથે ઓડિયો, વિડિઓ, ફોટોસ અને મોટા લખાણને પણ આસાનીથી ટેલિકાસ્ટ કરી શકે છે. 2006 થી 2010 સુધી દિવસની માત્ર 60,000 જ ટ્વિટ સંપૂર્ણ વિશ્વભરમાં થતી હતી તે આજે દવસભરની અબજો ટ્વીટ્સનું રૂપ લઇ ચુકી છે. આજે 40 કરોડથી પણ વધુ સક્રિય વપરાશકર્તાઓ કરોડોની સંખ્યામાં ટ્વીટ અને રીટ્વીટ દ્વારા દુનિયા હચમચાવી દે છે. 2013 માં Twitter ને દુનિયાની 10 સૌથી વધુ વિઝિટ થતી વેબસાઇટોમાં સ્થાન મળ્યું હતું જે આજે Google, YouTube અને Facebook બાદ ચોથા ક્રમ પર છે. 15 વર્ષો પહેલા માત્ર ચાર મિત્રોએ શરુ કરેલી આ કંપની આજે 5500 થી વધુ કર્મચારી અને દેશ-વિદેશમાં 25થી વધુ ઓફિસો ધરાવે છે જેની સંપૂર્ણ મિલકત 14 બિલિયન ડોલર્સ કરતા પણ વધુ છે. 

કંપનીના માલિક Jack Dorsey દ્વારા એક ભારતીયને અપાયું સર્વોચ્ચ પદ

21 માર્ચ 2006 ના રોજ ચાર મિત્રો દ્વારા અમેરિકામાં એક Microblogging વેબસાઈટ શરુ કરવામાં આવી હતી જેમાંના એક Jack Dorsey પણ છે. Jack Dorsey, Noah Glass, Biz Stone અને Evan Williams વિવિધ રીતે આ કંપની સાથે સંકળાયેલા રહી કંપનીને ઊંચી ટોંચે પહોંચાડવાનું કામ કર્યું છે જેમાં Jack Dorsey દ્વારા કંપનીના શરૂઆતી વર્ષમાં સી.ઈ.ઓ.નું પદ 2006-2008 દરમિયાન સાંભળ્યું હતું ત્યારબાદ Evan Williams 2008-2010, Dick Costolo 2010-2015, ફરીથી Jack Dorsey 2015-2021 અને હવે Parag Agrawal ને સોંપવામાં આવ્યું છે. 

પરાગ અગ્રવાલ

પરાગ અગ્રવાલનો જન્મ 21 મેં 1984 ના રોજ રાજસ્થાનના અજમેરમાં થયો હતો. નાનપણથી જ ભણવામાં હોંશિયાર એવા પરાગે પોતાના એજ્યુકેશનની શરૂઆત એટોમિક એનર્જી સેન્ટ્રલ સ્કૂલ નમ્બર 4 થી કરી હતી. પરાગના પિતા એટોમિક એનર્જી ડિપાર્ટમેન્ટમાં સિનિયર ઓફિસર હતા તેમજ માતા એક શિક્ષિકા હતા. પરાગ અગ્રવાલે 2001 માં તુર્કી ખાતે યોજાયેલી International Physics Olympiad માં ગોલ્ડ મેડલ મેળવ્યો હતો અને એ પહેલા જ 2000 ની સાલમાં વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થી તરીકે JEEની પરીક્ષામાં ઓલ ઇન્ડિયા રેન્ક 77 (AIR) પણ પ્રાપ્ત કર્યો હતો. ખુબ સારો રેન્ક હોવાથી પરાગને I.I.T. મુંબઈ (Indian Institute of Technology, Mumbai) માં Computer Science and Engineering માં એડમિશન મળ્યું હતું. પરાગે પોતાનો Ph.D. નો અભ્યાસ અમેરિકાની Stanford યુનિવર્સીટી (સ્ટેનફોર્ડ) થી પૂર્ણ કરેલો હતો.

પરાગ અગ્રવાલની કારકિર્દી

પરાગ અગ્રવાલ જેટલા ભણવામાં હોશિયાર હતા તેટલા જ હોશિયાર તેમના કામમાં પણ હતા. 2011 માં સોફ્ટવેર એન્જીન્યર તરીકે ટ્વીટર જોઈન્ટ કર્યા પહેલા પરાગ Microsoft Research અને Yahoo! Research ખાતે પણ સારી એવી પોસ્ટ પર હતા. 2011 થી 2017 દરમિયાન Twitter એ પ્રગતિની ખુબ મોટી ઉડાન ભરી હતી જેમાં મોટો શ્રેય પરાગને મનાતો હોઈ તેમ 2017 માં પરાગ અગ્રવાલને ચીફ ટેક્નોલોજી ઓફિસર તરીકે બઢતી આપવામાં આવી હતી. પરાગના કાર્ય અને તેની કુશળતા એટલી વધુ હતી કે 29 નવેમ્બર, 2021 ના રોજ ખુબ નાની ઉંમરમાં એક મોટી કંપનીના સી.ઈ.ઓ. તરીકેની જવાબદારી આ ભારતીય યુવાનને સોંપવામાં આવી છે. આ પ્રથમ વખત નથી બન્યું કે દુનિયાની મોટી-મોટી મલ્ટી નેશનલ કંપનીઓ પોતાના કંપનીના સર્વોચ્ચ પદની જવાબદારી હોશિયાર અને બાહોશ ભારતીયને સોંપી હશે પરંતુ આજે ફરીથી ઇતિહાસ દોહરાવામાં આવ્યો છે અને ફરીથી આપણા દેશના ગૌરવ સમાન ભારતીયએ આપણું નામ રોશન કર્યું છે.

શા માટે ભારતીયોને જ મોટી કંપનીઓ પોતાના CEO બનાવે છે?

માઈક્રોસોફ્ટથી લઈને પેપ્સી અને ગૂગલ તથા ખરીદી માટે વિશ્વ આખું વાપરે છે તેવા માસ્ટર-કાર્ડ્સ કંપનીઓના સી.ઈ.ઓ. અને તે કંપનીમાં કામ કરતા હજારો હોશિયાર ભારતીયોએ આજે દુનિયાભરમાં આપણું નામ ખુબ રોશન કર્યું છે. ફોર્ચ્યુન 500 કંપનીઓમાંથી 30%માં તેમના CEO તરીકે ભારતીયો છે. એક અભ્યાસ મુજબ, સિલિકોન વેલી (યુ.એસ.એ.)ના તમામ એન્જિનિયરોમાંથી ત્રીજા ભાગના એન્જિનિયરો ભારતના છે અને વિશ્વની હાઇ ટેક કંપનીના 10% CEO તમામ ભારતીયો છે. જે બાબત તેમને ટોચની સૌથી મોટી મલ્ટી નેશનલ કંપનીઓના શ્રેષ્ઠ CEO બનાવે છે તે તેમની ઉત્કૃષ્ટ સંચાર અને વ્યવસ્થાપક કુશળતા, અનુકૂલનક્ષમતા અને મહેનતુ સ્વભાવ. આપણા ભારતીયોના વ્યાવસાયિક કૌશલ્યો અને નમ્ર સ્વભાવનું આ અદ્ભુત સંયોજન તેમને આવા પ્રખ્યાત હોદ્દા હાંસલ કરવામાં અને જાળવી રાખવામાં મદદ કરે છે.

પરાગ પહેલા પણ હોશિયાર ભારતીયોએ આપણા દેશનું નામ રોશન કર્યું છે.

પરાગ અગ્રવાલ 12માં એવા વ્યક્તિ છે જે વિશ્વની મોટી ટેક્નોલોજિકલ કંપનીઓના સી.ઈ.ઓ પદ પર બિરાજમાન થયેલા છે એ સિવાય પણ જો દરેક ફિલ્ડની મોટી મલ્ટી નેશનલ કંપનીઓની વાત કરીએ ત્યારે દુનિયાની સૌથી મોટી સર્ચ એન્જીન કંપની Google ના CEO પણ એક ભારતીય છે. Sundar Pichai, CEO of Google 10 ઓગસ્ટ 2015 થી Google કંપનીના CEO છે અને મોટા ધંધામાં પણ ન કમાઈ શકાય તેટલી 20 લાખ ડોલર્સ જેટલી સેલેરી તેઓને મળે છે. ત્યારરબાદ Satya Nadella, CEO of Microsoft જેઓ પણ એક મોટી સોફ્ટવેર કંપનીના ઉચ્ચ અધિકારી છે. પેપ્સી કંપનીના સી.ઈ.ઓ. ઇન્દિરા નૂયી, Deutsche Bank ના અંશુ જૈન, Adobe Systems ના CEO શાન્તાનું નારાયણ, Diageo ના CEO ઈવાન મેનેઝીસ, Global Foundries ના સીઈઓ સંજય ઝા, MasterCard ના પ્રેસિડેન્ટ અને સીઈઓ અજયપાલ સિંહ બગ્ગા, Harman International Industries ના સીઈઓ દિનેશ પાલીવાલ, Nokia કંપનીના સીઈઓ રાજીવ સુરી અને એ સિવાય પણ સેકડો ભારતીયો આજે અનેકો કમ્પનીમાં સીઈઓ અને તેના જેવી બીજી મોટી પોસ્ટ પર બિરાજમાન છે.  

  

Dr. Hardik B. Ramani

Follow Me on YouTube: Knowledge4 All

Follow Me on Blogger: https://www.drhbramani.com/

Follow me on Facebook: https://www.facebook.com/drhbramani

Mo: 8980001554

Email: hardik.ramani@gmail.com

No comments:

Today's Knowledge

True Happiness for any Human being.... સાચું સુખ શું છે?

 આજના સમય મુજબ કોઈ કહી શકે કે , What is True Happiness for any Human being ?? આજની સાચી દુનિયા એટલે , સોશિયલ મીડિયા.. અને જ્યારથી લોકો...

Reader's Choice